રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
પોતાના નિવાસસ્થાન સુંદરપરા ખાતે ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ માં” મન કી બાત” કાર્યક્રમ
રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ અને કેન્દ્ર સરકારના આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર તેમજ રાજપીપળા ના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા એ વડાપ્રધાનના પ્રકાશિત થયેલા” મન કી બાત “કાર્યક્રમને આજરોજ પોતાના નિવાસસ્થાન ખાતે ગ્રામજનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નિહાળ્યું હતું.
વડાપ્રધાન ના ” મન કી બાત” કાર્યક્રમ નો પ્રસારણ આજરોજ થતાં રાજપીપળા પાસે આવેલ સુંદરપરા ગામ ખાતેના પોતાના નિવાસ્થાને રાજપીપળા ના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ તેમજ કેન્દ્ર સરકાર ના આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર હર્ષદભાઈ વસાવા એ મન કી બાત ના વડાપ્રધાનના કાર્યક્રમને નિહાળ્યો હતો, જે પ્રસંગે તેમના ટેકેદારો ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ અંગે હર્ષદ વસાવા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના મન કી બાત ના કાર્યક્રમથી એક જાતની પ્રેરણા અને ઉત્સાહ પ્રદાન થતા હોય છે , વડાપ્રધાન મોદી સમાજના નિમ્ન સ્તરના નાગરિકો અને તમામ દ્દેશ વાસીઓ માટે પણ હર હંમેશા ચિંતિત રહેતા હોય અને સમાજ સેવા માં તેમનું અનેરુ યોગદાન હોય વડાપ્રધાનના મન કી બાત નું કાર્યક્રમે સમગ્ર દેશમાં એક અનેરો સ્થાન પ્રાપ્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ભારતિય જનતા પાર્ટી પોતાની રગો રગ મા વશ્યું હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પોતે પોતાના આદર્શ માનતા હોય ને દેશના ત્રીજી વાર વડાપ્રધાન બને એવી શુભેચ્છા પાઠવી હતી.