રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુસન ની કચેરી ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા ના સરકારી વકીલો ને સંવિધાન દિવસ ઉજવવા નુ સૂચન
દેશના આમ નાગરિકો તથા જાહેર જીવન માં કામ કરતા આગેવાનો માં ભારત ના બંધારણ અંગે લોક જાગૃતિ કેળવવા દેશના બંધારણે દેશ વાસીઓ ને આપેલ અધિકારો અંગે માહીતગાર કરવા ના ઉમદા આશય થી દર વર્ષે તા 26 મી નવેમ્બર ના રોજ બંધારણ દીવસ તરિકે ઉજવવા નું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું હોય ને ગાંધીનગર સ્થિત ડાયરેકટર ઓફ પ્પ્રોસિક્યુસન ની કચેરી દ્વારા નર્મદા જીલ્લા ના સરકારી વકીલ ને બંધારણ દીવસ ની ઉજવણી કરવાની જાણ કરવામા આવી છે.
બંધારણ દીવસ ની ઉજવણી નિમિત્તે જ્યુડિસિયલ ઓફિસર, જિલ્લા ના મુખ્ય સરકારી વકીલો, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, એ. ડી. પી.પી. , જીલ્લા બાર એસોસિયેશન ના હોદ્દેદારો, વકીલો, સહિત જીલ્લા ના અધિકારીઓ, સામજિક કામગિરી કરતા એન. જી. ઓ. બંધારણ દીવસ ની ઉજવણી ના કાર્યક્રમ મા ઉપસ્થિત રહેશે.