શહેરા ખાતે દેશની કક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાજંલી આપવા કેન્ડલ માર્ચ યોજાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

દેશની રક્ષા કાજે સરહદ પર પરિવારથી દુર રહેતો જવાન પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ખચકાતો નથી.આંતકવાદી હુમલા હોય કે કુદરતી આફત દેશનો વીર જવાન જાનની બાજી લગાવી દે છે.શહેરાનગર ખાતે ગૂરૂવારે સમીસાંજે શહીદ જવાનોને શ્રધ્ધાજંલી આપવામા આવી હતી.જેમાં અણિયાદ ચોકડીથી બસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી.જેમા શહેરાનગર તેમજ ગ્રામીણ વિસ્તારમાથી આવેલા યુવાનો જોડાયા હતા.હાથમા પ્રગટાવેલી મીણબત્તી લઈને નીકળેલી રેલી બસ સ્ટેશન તરફ આગળ વધી હતી.હાથમાં તિરંગા સાથે અને ડીજે પર દેશભક્તિના સંદેશે આતે હે” મા તુજે સલામ “જેવા ગીતો સાથે
વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ હતુ.મો ભોમની રક્ષા કાજે શહીદ થયેલા વીરજવાનોને ભીની આંખે શ્રધ્ધાજંલી પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here