રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
રાજપીપળા ખાતે આજરોજ કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે જ સરકારની ખેડુતો અને શૈક્ષણિક ક્ષેત્રની નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
ગાંધી જયંતીના દિવસે જ મોદી સરકાર દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાનું તથા ખેડુત વિરોધી કાયદો ઘડી ખેડુતોને પાયમાલ કરવાની નીતિ ઘડાઇ હોવાનું સરકાર ઉપર ગંભીર આરોપ લગાવી પોસ્ટરો બેનરો સાથે આજે નર્મદા કૉંગ્રેસ દ્વારા ધારણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સરકાર ની નીતિ નો વિરોધ કરાયો હતો. જે પ્રસંગે માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના ઝોનલ ચેરમેન ઇમ્તિયાઝ કાદરી, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવા , નગરપાલિકા વિરોધ પક્ષ ના નેતા મુનતજીર શેખ , એન.એસ.યુ.આઇ.ના વાસુદેવ વસાવા ,નગરપાલિકાના સભ્ય કમલ ચૌહાણ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.