રાજપીપળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ યાત્રા કાઢી ભાજપા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા કોંગ્રેસ સમિતિએ નવા સભ્યોની નોધણી કરી સભ્ય નોંધણી ઝુમ્બેશ ચલાવી

પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચન અનુસાર નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભાજપા સરકાર ની નીતિરીતિ ઓ નો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર ની નિષ્ફળતા ને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી પોસ્ત્રો બેનરો સાથે કૉંગ્રેસ ની જનજાગરણ યાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કૉંગ્રેસ કાર્યાલય ઉપર પહોંચી હતી. કોંગ્રેસ કાર્યાલય સબજેલ પાસે સભ્ય નોંધણી કાર્યક્રમ રાખેલ હતો જેમાં મોટી સંખ્યા માં વડીલો તથા યુવાનો કોંગ્રેસ ના સભ્ય બન્યા હતા.

ત્યારબાદ હાલમાં જ પૂર્ણ થયેલ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં જીતેલા તમામ સભ્યો જિલ્લા યુથ કોં પ્રમુખ , તાલુકા યુથ કોં પ્રમુખ , જિલ્લા યુથ કોં મંત્રી આમ તમામ યુથ કોંગ્રેસના હોદ્દેદારો ને સન્માનિત કરવામાં આવ્યા હતાં જે પ્રસંગે નર્મદા જિલ્લા પ્રભારી માનસિંગભાઈ ડોડીયા,
નર્મદા જિલ્લા પ્રભારી અરવિંદભાઈ દોરાવાલા, નાંદોદ ના ધારાસભ્ય પીડી વસાવા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશભાઈ વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતીભાઈ વસાવા , રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબેન વસાવા, જિલ્લા યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ વાસુદેવ ભાઈ વસાવા, જિલ્લા યુથ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ, હાલ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે વિજેતા બનેલ અજય વસાવા અને તેઓની યુથ કોંગ્રેસની ટીમ અને નર્મદા જિલ્લા તથા રાજપીપળાના કોંગ્રેસના નાના-મોટા તમામ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here