રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
કેન્દ્ર સરકારના મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતની સંભાવનાઓ
તા 1 લી થી 3 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર પ્રદેશ કારોબારી માટે કાર્યકરો મા દોડધામ
ગુજરાત પ્રદેશ ભાજપા ની ત્રિ દિવસય પ્રદેશ કારોબારી ની બેઠક સટેચયુ ઓફ યુનિટી પાસે ના કેવડીયા કોલોની ખાતે યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રદેશ ભાજપા ની ત્રિ દિવસય કારોબારી બેઠક મા પ્રદેશ અધયક્ષ સહિત કારોબારી સમિતિ ના લગભગ 500 જેટલા ભાજપા ના આગેવાનો અને કાર્યકરો આ કારોબારી બેઠક મા ઉપસ્થિત રહેસે.આ ઉપરાંત કેન્દ્ર સરકાર ના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ પણ એક દિવસ માટે કારોબારી બેઠક મા ઉપસ્થિત રહેવાની સંભાવનાઓ વર્તાઇ રહી છે. કેવડીયા ખાતે પ્રદેશ ભાજપા ની ત્રિ દિવસય કારોબારી બેઠક તા. 1લી સપ્ટેમ્બર થી 3 જી સપટેંબર દરમ્યાન યોજાશે. આ બેઠક મા ગુજરાત મા આવનાર વિધાનસભાની ચૂંટણીઓ મા પક્ષ દ્વારા 182 વિધાનસભા બેઠકો ઉપર વિજય પતાકા કઇ રીતે લહેરાવવી તેમજ પક્ષ ના સંગઠન ને મજબૂત કરવાની દિશામાં ચર્ચા વિમર્શ હાથ ધરાસે.નર્મદા જીલ્લા મા યોજાનાર પ્રદેશ કારોબારી ની બેઠક માટે જીલ્લા ના આગેવાનો કાર્યકરો મા અત્યારથી જ બેઠક ને સફળ બનાવવા માટે કોઇ ખામી ન રહી જાય એ માટે દોડધામ શરૂ થઇ હોવાનું જાણવા મળ્યું છે.