બાકરોલ પ્રા.શાળાના આચાર્ય દ્વારા શાળાના બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરી જન્મદિવસની ઉજવણી કરી.

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ એ શાળાના બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
સામાન્ય રીતે ઘણાં વ્યક્તિઓ જન્મદિવસ ની ઉજવણી કેવી રીતે કરતાં હોય છે જેમ કે કેક કાપીને અથવા તો મિત્રો સાથે પાર્ટી ઉજવી કરતાં હોય છે પણ બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ દ્વારા જન્મદિવસ ની ઉજવણી શાળાના બાળકો સાથે કરી હતી અને દર વર્ષે ૨૮ માર્ચે શાળાના આચાર્ય દ્વારા જન્મદિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતાં ધોરણ એક થી આંઠ ના બાળકો ને શાળા રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. શ્રેષ્ઠ બાળક ની પસંદગી વર્ષ દરમિયાન કરેલ ઉત્તમ કાર્યો ના આધારે પસંદગી કરવામાં આવે છે ચાલું વર્ષે ૧૪ બાળકોની પસંદગી કરવામાં આવી હતી.આ તમામ બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, એસ.એમ.સી અધ્યક્ષ,સભ્યઓ તેમજ ગ્રામજનો અને બાળકોના વાલી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ બાળકોને બુંદી,દાળ અને ભાત નું ભોજન કરાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here