નાંદોદ 148 વિધાનસભા બેઠક ઉપર સતત બે વાર વિજેતા એક પણ ચૂંટણી નહીં હારેલા હર્ષદ વસાવાની ઉપેક્ષા કેમ ???

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લામાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા બેઠક ઉપર સતત બબ્બે વાર પુર્વ સંસદીય સચિવ અને રાષ્ટ્રીય આદિજાતી આયોગના પુર્વ સદસ્ય હર્ષદ વસાવા વિજેતા થયાં છે, ભાજપા નો કોઈ પણ ઉમેદવાર આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યું નથી,ત્યારે પોતે ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચા ના પ્રમુખ પણ હોવા છતાં ભાજપા માં ચાલતી જુથબંધી નો ભોગ બન્યા અને મોવડી મંડળે ઉમેદવાર તરીકે પસંદગી ના કરતાં હવે એ પ્રશ્ન ઊભો થઈ રહયો છે કે આવું કેમ??

સતત બબ્બે વાર વિજેતા થયેલ ઉમેદવાર કે જે સંપૂર્ણ પણે લાયકાત ધરાવતા હોય પ્રદેશ કક્ષા એ આદિજાતી મોર્ચા ના પ્રમુખ તરીકે ની જવાબદારી પણ નિભાવતો હોય એવા ઉમેદવાર ને ટિકિટ કેમ ના આપવામા આવી?? ના પ્રશ્નો ભાજપા કાર્યકરો અને મતદારો મા ચર્ચાસ્પદ બનેલ છે.

જૉ આ પ્રશ્નો ના જવાબ મતદારો એ પોતના મતદાન નો પ્રયોગ કરી આપ્યો તો ભાજપા ના નાંદોદ વિધાનસભા બેઠક જીતવાના મહીલા ઉમેદવાર તરીકે ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપર લગાવેલ દાવ ઊંધો પણ પડી સકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here