રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
આત્મહત્યા કરવા નાયલોનની પાટીથી ફાંસો બનાવ્યો પાટી તુટતા નીચે પટકાતાં પરિવારજનો એ સારવાર માટે દાખલ કર્યો
નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના થપાવી ગામે અજીબો ગરીબ ઘટના ઘટી હતી જયા આત્મહત્યા કરનાર એક યુવાનને મૃત્યુના દ્વારે પહોંચતા દશ દિવસનો સમય લાગ્યો હતો.
બનાવની વાત કરીએ તો દેડિયાપાડા તાલુકાના થપાવી ગામના નિશાળ ફળીયામા રહેતા રાજેશ રતિલાલ વસાવા ઉ.વર્ષ. 32 નાઓએ આત્મહત્યા કરવાનુ મન બનાવી લેતા તેના ઘરમા પડેલી નાયલોનની પાટીથી ગળામા ફાંસો બનાવ્યો હતો અને પોતાના ઘરના માળિયા ઉપર ચઢીને પાટી લાકડાં સાથે બાંધી નીચે આવતા પાટી તુટી પડતા તે ધડાકા બેર નીચે પટકાતાં ગળાંમા પાટીનો ફાંસો બાંધતા શ્વાસ રુંધાતાં ગંભીર હાલતમા મુકાયો હતો, ઘરના લોકોને બનાવની જાણ થતા તેને સારવાર અર્થે દવાખાનામાં દેડિયાપાડા ખાતે લાવવામાં આવ્યો હતો જયાં પ્રાથમિક સારવાર આપી વધું સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં ત્યાથી વડોદરા ખાતેના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનુ બનાવના દશ દિવસ બાદ મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .