ધોરાજીમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રામનવમીના પર્વ નિમિત્તે સવારે રામ મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી ભગવાન રામના દર્શન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ૪૦થી વધુ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ વિવિધ સંસ્થાઓ જય શ્રી રામના નારા સાથે આ‌ શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રાના આઈસ્ક્રીમ, કુલ્ફી, ચા-પાણી, ઠંડી છાશ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના નાદ સાથે ધોરાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here