જાંબુઘોડા : આમ આદમી કાર્યકર્તા અને ગ્રામજનોએ ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું…

જાંબુઘોડા,(પંચમહાલ) એસ વી ચારણ (બોડેલી) :-

આમ આદમી પાર્ટી જાંબુઘોડાના બારીયા જયેશભાઇ દીનુભાઇ જાંબુઘોડા જિલ્લા પંચમહાલ ના તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી.કે ગરાસિયા સાહેબ ને આમ આદમી કાર્યકર્તા અને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું આમ આદમીના કાર્યકર્તા જયેશભાઈ બારીયાએ જણાવ્યું હતું કે જોટવડ. ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષ માં મનરેગા યોજના હેઠળ થયેલા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયેલ છે આર.સી.સી.રોડ ચેકડેમ તથા પાવર બ્લોક જેવા કામોમાં સરકારની યોજના મુજબ થયેલા નથી તેમાં કામ કરનાર એજન્સી નાણા ઉપાડવાનું જણાઈ આવે છે તો તેની સ્થળ તપાસ કરી. પ્રજાના પૈસા હડપ કરનાર લોકો સામે કાયદેસરની તપાસ કરવા અને. તેમની ઉપર ગુનો દાખલ કરવા આમ આદમી કાર્યકર્તા અને જોટવડ ગ્રામજણો સાથે રહીને શ્રી ડી કે ગરાસિયા સાહેબ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજણો અને આપ કાર્યકર્તા એ મનેરેઞા યોજનામાં પાંચ વર્ષમાં થયેલ. ભ્રષ્ટાચાર ના આરોપ દસ દિવસમાં જોટવડ ગામમાં આવીને સ્થળ પર તપાસ કરી પ્રજાની સાથે રહી તેનું નિવારણ કરવા નમ્ર અપીલ કરી હતી જોટવડ ના ગામના આગેવાન અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જયેશભાઈ બારીયા એમજ પંચમહાલ સંગઠન મંત્રી વખતસિંહ બારીયા આમ આદમી પાર્ટી જાંબુઘોડા તાલુકા આપ મંત્રી ભીખાભાઈ તડવી. કિસાન સંઘ પ્રમુખ રાજેન્દ્રભાઈ તેરસીંગભાઈ બારીયા અને ગ્રામજનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here