ગોધરા શહેરમાં લોકડાઉન દરમિયાન જથ્થાબંધ વિક્રેતાઓને વેચાણ માટે વિસ્તાર અને દિવસોની ફાળવણી કરાઈ

ગોધરા,તા-૩૦-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

ફાળવણી કરાયેલ દિવસો અને વિસ્તારમાં જ વેચાણ કરવાનું રહેશે

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, કરિયાણા, કઠોળ, ખાંડ તેલ સરળતાથી મળી રહે અને તેમના વેચાણ દરમિયાન નાગરિકોને કોરોના વાયરસનો ચેપ લાગી શકે તેવી સ્થિતિને ટાળવા વહીવટીતંત્ર સતત પ્રયાસરત છે. આવા જ એક અન્ય પગલામાં પ્રાંત અધિકારીશ્રી, ગોધરા દ્વારા શહેરના જથ્થાબંધ વિક્રેતાઓ માટે નાના વિક્રેતાઓ અને રિટેલરો (છૂટક વેપારીઓ)ને વેચાણ કરવા માટે વિસ્તાર તેમજ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર અનાજ, કઠોળ અને કરિયાણાના નાના વિક્રેતાઓ અને છૂટકવેપારીઓ ગિદવાણી રોડ પર સોમવાર અને શનિવારના રોજ લીલારામ ગોદુમલ એન્ડ કંપની તથા વીરૂમલ ચેલારામ, મંગળવારના રોજ કિશોરકુમાર થાવરદાસ અને કનૈયાલાલ શ્યામલાલ, બુધવારના રોજ ગજાનંદ ટ્રેડર્સ અને તોલારામ સન્સ, ગુરૂવારના રોજ તુલસી ટ્રેડિંગ અને અંબિકા ટ્રેડિંગ કંપની, શુક્રવારના રોજ ન્યાલ કરણ ટ્રેડર્સ અને કિશનચંદ દયાલદાસ ધનાણીની દુકાનો ખાતેથી ખરીદી કરી શકશે. જ્યારે સ્ટેશન રોડ પરના અનાજ, કઠોળ અને કરિયાણાના જથ્થાબંધ વિક્રેતાઓમાંથી સોમવારના રોજ મણીલાલ અમરતલાલ, અતુલકુમાર ચીનુભાઈ, દોલતરામ પેશુમલ, આલમચંદ ચેલારામ, મંગળવારના રોજ અસન્ન ટ્રેડર્સ અને અલી ગ્રેઈન શોપ, બુધવારના રોજ આસુમલ આસનદાસ, રૂક્ષભ ટ્રેડર્સ, ગુરૂવારના રોજ રજનીકાન્ત એન્ડ કંપની અને ગાંધી છગનલાલ હીરાચંદ, શુક્રવારના રોજ શ્રીકૃષ્ણ ટ્રેડર્સ, અમરલાલ સેલ્સ, શનિવારના રોજ વીરેણકુમાર ઘનશ્યામદાસ, વાસુદેવ એન્ટરપ્રાઈઝ, જનમંગલ ટ્રેડર્સ, જેવી. એન્ડ કંપની ખાતેથી ખરીદી કરી શકાશે. માર્કેટિંગ યાર્ડમાં આવેલી રસિકલાલ ઓછવલાલ પરીખની દુકાન પરથી સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ તેમજ પરસોત્તમ રણછોડદાસની દુકાન પરથી મંગળવાર, ગુરૂવાર અને શનિવારના રોજ વેચાણ કરવામાં આવશે.
સ્ટેશન રોડ પર ખાંડના વિક્રેતાઓ પૈકી કિશોરીલાલ ગંદુમલ ભાયાણી અને ભગવતી ટ્રેડર્સને સોમવાર, રમણલાલ જયંતિલાલ અને શ્રી જય જલારામ ટ્રેડર્સને મંગળવાર, પી.ચમનલાલ એન્ડ કંપની અને લક્ષ્મી ટ્રેડર્સને બુધવાર, રામચંદ પેશુમલ અને પુનાવાલા ટ્રેડિંગ કંપનીને ગુરૂવાર, જે.કે.ટ્રેડર્સ અને ક્રિષ્ના સુગર કેન્ડી વકર્સને શુક્રવારનો દિવસ વેચાણ માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગીદવાણી રોડ પર ખાંડના વિક્રેતાઓ પૈકી વરૂણકુમાર ગંગારામ અને વરૂણ એન્ટરપ્રાઈઝ પરથી સોમવાર અને મંગળવારનો દિવસે, નિશા ટ્રેડર્સ પરથી બુધવાર અને ગુરૂવારનો દિવસે, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ પરથી બુધવાર અને ગુરૂવારના દિવસે, કૈલાશ ટ્રેડિંગ કંપની પરથી શુક્રવાર અને શનિવારના રોજ તેમજ શ્રી હરી કૃષ્ણ ટ્રેડિંગ પરથી શુક્રવાર અને શનિવાર વેચાણ માટે ફાળવવામાં આવ્યા છે. તેલના હોલસેલ વિક્રેતાઓને કરેલી ફાળવણી અંતર્ગત સ્ટેશનરોડ પરના રાજેન્દ્રકુમાર રમેશચંદ્ર એન્ડ કંપનીને સોમવાર અને ગુરૂવાર, હિતેષ ટ્રેડિંગ કંપનીને મંગળવાર અને શુક્રવાર તેમજ શ્યામલાલ ગોવિંદરામને બુધવાર અને શનિવાર ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, આ વિક્રેતાઓએ તેઓને ફાળવેલ જગ્યા-સ્થળ પર ફાળવેલ દિવસો પ્રમાણે જ વેચાણ કરવાનું રહેશે. વેચાણ દરમિયાન એકથી વધુ માણસો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકો એકબીજાથી બે-બે મીટરનું અંતર જાળવી ઉભા રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે એપિડેમિક ડિસીઝ એક્ટ- 1897 તથા ગુજરાત એપિડેમિક ડિસીઝ, કોવિડ-2019 રેગ્યુલેશન એક્ટ-2020 હેઠળ કાયદેસરના પગલા ભરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here