ગોધરા,
પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા
કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ગોધરા કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરસિંગના માધ્યમથી કેબિનેટની બેઠકમાં ભાગ લીધો હતો. કોરોના વાયરસ સંક્રમણના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પ્રભારી મંત્રી તરીકે આણંદ તેમ જ પંચમહાલ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે ચર્ચા અને બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી બાબતે શિક્ષકોની રજુઆત અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી હતી.