ઓમકારેશ્વરનો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતા પરિવારને રતનપુર પાસે નડ્યો અકસ્માત

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુટેશી :-

નસવાડીના રતનપુર ગામ નજીક કાર નો સર્જાયો અકસ્માત અચાનક વન્ય પ્રાણી આવીજતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડામા ખાબકી હતી અને જોત જોતામાં લોકટોળા ઉમટ્યા હતા જે પરિવાર ઓમકારેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યુ હતુ કાર પલ્ટી મારતા કાર મા સવાર પરિવારને સામાન્ય ઈજાઓ પહોચી હતી અને ૧૦૮ મા પરિવારને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોચી વઘુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here