નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી હનુમાનજી મંદિરે ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકા દ્વારા તા.૧૨/૧/૨૦૨૨ ના રોજ આપણા દેશ ના વડા પ્રધાન નારેન્દ્રભાઈ મોદી ના દિરધાર્યું (લાંબા આયુષ્ય) માટે હવન પૂજા અર્ચના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં દેશના વડા પ્રધાન માટે મન મુકીને ભાજપ ના દરેક કાર્યકર્તાઓ એ પ્રાર્થના કરી હતી અને આ કાર્યક્રમમાં સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તથા જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર નસવાડી તાલુકા પ્રમુખ રાજુભાઈ રાઠવા તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ તાલુકા કારોબારી અધ્યક્ષ બાબલુભાઈ જયસવાલ અને નસવાડી તાલુકાના તમામ હોદ્દેદારો અને મોરચાના તમામ હોદ્દેદારો હજાર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.