છોટાઉદેપુર જિલ્લાની નકલી બોડેલી કચેરીનાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કૌભાંડ નો પર્દાફાશ થયો હતો જેમાં બોડેલી ખાતે નકલી કચેરી બનાવી રૂ ૪.૧૮ કરોડનું કૌભાંડ આચર્યુ હતું. જેમાં મુખ્ય સૂત્રધાર અને આરોપી તરીકે હાલ છોટાઉદેપુર સબ જેલમાં હોય જે સંદીપ રાજપૂતનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે.
છેલ્લા ૭ મહિનાથી જેલની અંદર હોય જે અંતર્ગત આજરોજ સાંજના ૬ વાગ્યાના સમયે અચાનક સંદીપ રાજપૂતને ગભરામણ થતા જેલ સ્ટાફ નેં જાણ કરી હતી જેથી તાત્કાલિક છોટાઉદેપુર જનરલ હોસ્પીટલ સરવાર અર્થે લાવવામાં આવ્યા હતા જે અંતર્ગત તેઓનું મોત નીપજ્યું હતું અચાનક મોત થતા છોટાઉદેપુર નગર તથા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો હાલ સંદીપ રાજપૂતનાં મૃત શરીરને પેનલ પોસ્ટ મોટર્મ અર્થે વડોદરા એસ એસ જી મોકલી આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here