અમદાવાદ, કમર અલી સૈયદ :-
અમદાવાદ વટવા ખાતે યોજવામાં આવશે નશામુકતિ અભિયાન
તહેરીકે શૌતુલ હક્ક આયોજીત અમદાવાદ દ્વારા આયોજીત “આપણું અમદાવાદ નશામુકત અમદાવાદ” અભિયાન મા શહેરના નામાંકિત લોકો જોડાશે
ગુજરાત ની તમામ પ્રજા જાણે છે કે આજના યુગમાં નશો એક પ્રકારનું દુષણ બનીને માનવ જીવન ને બરબાદ કરી રહયું છે અને ખાસ કરીને યુવાનો અને યુવતિઓ આ દુષણ નો ભોગ બન્યા છે. કિશોરાવસ્થામાં ની પ્રજા પણ હવે આ મોત રુપી અજગર ના ભરડામાં ફસાતી જાય છે ત્યારે યુવાધન અને દેશને બચાવવા માટે શિક્ષિત અને સભજદાર લોકોની એ ફરજ બને છે કે કોઈ પણ ભોગે આ નશારુપી ઝેર ના આદી નબી ગયેલ યુવાધન ને આ દુષણમાથી મુક્ત કરવા પૂરતા પ્રયત્નો કરવા.
આમ આ ફરજના ભાગ રુપે અમદાવાદ ખાતેના તેહરીકે શૌતુલ હક્ક (તેશ) નામના એન.જી.ઓ.એ પહેલ કરીને નશામુકતિ અભિયાન *આપણું અમદાવાદ નશામુકત અમદાવાદ* અંતર્ગત તા.19-2-23 ના રોજ રાત્રે 8.00 કલાકે બીબી તળાવ ચાર રસ્તા વટવા અમદાવાદ ખાતે એક ભવ્ય પ્રોગ્રામ નું આયોજન કરેલ છે જેમા શહેરના નામાંકિત લોકો જેમ કે પોલીસ અધિકારીઓ,ડોકટરો,વકીલો,રાજકીય નેતાઓ,રિટાયર્ડ જજ,તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો અને લોક જાગૃતિનું કાર્ય કરનારા અનેક મહાનુભાવો જોડાશે,માટે અમદાવાદ ના લોકોને આ અભિયાન મા જોડાવા તેશ એન.જી.ઓ.ના ગુજરાત ના પ્રમુખ નાશીરભાઈ શેખ દ્વારા જાહેર આમંત્રણ આપેલ છે.