આયુર્વેદિક દ્રવ્યોના ઉપયોગથી બનાવેલ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
મોટી કુકાવાવ(અમરેલી)
રસિક વેગડા
અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામે કોરોનાથી બચવા તેમજ લોકોની રોગ પ્રતિકારક શક્તિ જળવાઇ રહે તેવા ઉમદા હેતુથી અગ્રણીઓ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ઠેરઠેર આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગથી બનાવેલ ઉકાળા ઠેર ઠેર બનાવીને લોકોને નિસ્વાર્થ ભાવે પીવડાવવામાં આવે છે. દરેક વનસ્પતિ કોઈને કોઈ ઔષધીય ગુણો ધરાવતી હોય છે પ્રાચીન સમય થી આયુર્વેદિક ઔષધિઓનું આપણી ભારતીય સંસ્કૃતિમાં ખુબજ મોટું મહત્વ રહ્યુ છે.
તેમજ વિપક્ષી નેતા અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના સંયુક્ત સહયોગથી મોટીકુકાવાવની જનતાની તંદુરસ્તીના હિતમાં શહેરમાં અલગ અલગ અલગ જગ્યા પર ઉપલબ્ધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું બસ સ્ટેશન, શ્રીનાથજી હવેલી, સ્વામીનારાયણનું મંદિર ખાતે સમય સવારના સાતથી સવારના નવ વાગ્યા સુધી કુંકાવાવ શહેર માં કોઈપણ સેવા કાર્ય હોઈ અને આ સેવા કાર્યમાં જેમજું નામ અગ્રેસર્જ લેવામાં આવતું હોય છે એવા ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા શહેરના લોકોની સ્વાસ્થ્યની જાળવણી માટે શ્રીનાથજી હવેલી અને સ્વામિનારાયણ મંદિર, કુંકાવાવ મેઈન દરવાજા પાસે ઉકાળા સેન્ટર ચાલુ કરવામાં આવીયા. શહેરના લોકો એ અચુક લાભ લેવો જોઈએ.