એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-
એક્તા નગર ભારત ભવન પાસે પોતાના ટ્રાવેલર્સ ની બસ માથી ઉતરી ચાલતા ચાલતા SOU ની બસ માં બેસવા જતા આકસ્મિક મોત
દેશ માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારે પ્રશિધ્ધી અઠે એક અગત્યનું પ્રવાસન સ્થળ બની ગયુ છે , દરરોજ હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા હોય છે , જેમાં આજરોજ પેટલાદ ગામ થી આવેલા એક આધેડ પ્રવાસી નું પોતાના પ્રવાસ દરમ્યાન જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા વિનાજ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શશીકાંતાબેન ધનજીભાઈ ખ્રિસ્તી ઉવ.૭૦ રહે પેટલાદ જી.આણંદ નાઓ પેટલાદથી કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તેના આસપાસ ના પ્રકલ્પો ફરવા માટે ટટ્રાવેલર્સ ની બસ મારફતે તેમના મિત્ર મંડળ સાથે આવેલ હતા, અને એક્તા નગર ના ભારત ભવન ખાતે ટ્રાવેલર્સ ની બસ પાર્ક કરી નીચે ઉતરી આ વયોવૃદ્ધ મહીલા ચાલતા ચાલતા એસ.ઓ.યુ ની બસમા બેસવા માટે જતા હતા ત્યારે તેઓને અચાનક ચક્કર આવતા નીચે પડી જતા માથામા કપાળના ભાગે સાધારણ ઇજા થયેલ હતી, જેથી સારવાર અર્થે એસ.ઓ.યુ મેડીકલ યુનિટ ખાતે ૧૦૮ મારફતે લાવતા સારવાર દરમીયાન ફરજ પરના ડોકટરે ચેક કરતા શશીકાંતાબેન ખ્રિસ્તી ઉવ.૭૦ રહે પેટલાદ નાઓ ને ડોકટરે મૃત જાહેર કરતા સાથે આવેલ મિત્રમંડળ માં માતમ છવાયું હતું. કેવડીયા પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.