શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
નવ દિવસની આરાધના તેમજ ગરબે ઘુમ્યા બાદ અસત્ય પર વિજયના પર્વ સમાન એવા દશેરા પર્વની શહેરા માં ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપુજનનો કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ દીપ પ્રગટાવીને શસ્રપુજનના કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો.બ્રાહ્મણો દ્વારા શાસ્રોક્ત વિધિસર શસ્રપુજા કરવામાં આવી હતી.શસ્રપુજામાં શહેરા તાલુકામાંથી વિવિધ અગ્રણીઓ,યુવાનો સાફાસાથે સજ્જ સાથે હાજર રહ્યા હતા.મહત્વ ની વાત તો એ છે કે જયારે રેલી માં પક્ષ પાર્ટી ને ભૂલી ને વિવિધ અગ્રણીઓ સાથે જોવાતા લોકો માં અનેક ચર્ચાઓ જોવા મળી હતી. લોકો માં એવી પણ ચર્ચાઓ જોવાઈ કે આગળ વિધાનસભાનું ઈલેક્શન આવી રહ્યું છે જેને લઈને આવા આયોજનો કરવામાં આવી રહ્યા છે.