લાલપુર,હસનબાપુ દરવેસ :-
એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મતદાર પ્રજાને મોંઘવારી મુક્ત કરવામાં નિષ્ફળ નીવડી હોય એમ મોટા ભાગે મોધવારી થી લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર ની સમસ્યાઓ મતદાર પ્રજા માટે કાયમી સમસ્યા ની હારમાળા આજના આધુનિક યુગમાં પણ ગાડા માર્ગ રહ્યો છે ત્યારે વિકાસની વાતો કરનારા વિકાસ લક્ષી સરકારના નેતાઓને અને જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પદયાત્રા કરવી જોઈએ જેથી ખબર પડે કે વિકાસ કોનો? અને કેવો! એતો લાલપુર થી નાદુરી રીજં પર તરફનો માર્ગ તસવીરમાં વિકાસની ઝપટ માં આવેલા માર્ગ આજના આધુનિક યુગમાં પણ ગાડા માર્ગ બન્યા છે જેથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને તે માર્ગ પરથી પસાર થવું જોખમી અને અકસ્માત જનક બન્યું છે એવા સમયે મોંઘવારી મુક્ત કરવામાં મોટાભાગે રાજકીય નેતાઓ નિષ્ફળ નીવડયા છે ત્યારે વિકાસ લક્ષી કાર્યોમાં અને પ્રજાલક્ષી કાર્યમાં સતત નિષ્ફળ નીવડયા હોય તેમ જામનગર જિલ્લાના લાલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવી રહ્યા છે જે તસવીરમાં નજરે પડે છે