ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી : ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવશે…!!

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

કોરોનાના સંદર્ભમાં ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે.

ગુજરાતમાં પ્લમ્બર, કાર્પેન્ટર, સુથાર, ઈલેક્ટ્રિશ્યન જેવા લોકો 20 એપ્રિલ બાદ કામ કરી શકશે, નિયમોનું પાલન કરવું પડશે

ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે
જિલ્લાકક્ષાએ વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે
આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યીક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરવાની મંજુરીઓ આપશે, વાણિજ્યીક ઊદ્યોગો અને એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે આ તકેદારીઓ માં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ વાણિજ્યીક એકમોએ થર્મલ ગન,ફરજિયાત માસ્ક નો ઉપયોગ. સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટનસીંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. એટલું જ નહિ, કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે જો તે શક્ય ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સોશીયલ distnsing સાથે સુનિશ્ચિત કરવાની રહેશે.
આમાંની કોઈ પણ વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજુરી પરત લઇ ઊદ્યોગ વાણિજ્યીક એકમો બંધ કરાવી દેવાશે
.
આવી મંજુરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here