ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
આજે કોરોના સંક્રમણના નવા ૦૩ કેસો નોંધાયા ૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
કુલ કેસનો આંક ૩૮૯૯ થયો, કોરોનાને પછડાટ આપી ૩૭૨૪ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં સતત ત્રણ દિવસ એક જ નવો કેસ મળ્યા બાદ આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૦૩ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૮૯૯ થવા પામી છે. ૦૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૩૬ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો શહેરી વિસ્તારોમાંથી જ મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૦૨ અને હાલોલ શહેરમાંથી ૦૧ એમ કુલ ૦૩ કેસો મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૫૨ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે કેસ મળી આવ્યા નથી. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૪૭ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૨૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૬ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.