પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૧૧ કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૧૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ સક્રિય દર્દીઓનો આંક ઘટીને ૮૪ થયો

કુલ કેસનો આંક ૨૮૩૧ થયો કોરોનાને પછડાટ આપી ૨૬૨૬ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં નવા મળતા કેસોની સંખ્યા કરતા હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાનો ક્રમ યથાવત રહ્યો છે. ગત રોજ કોવિડ-૧૯ સંક્રમણના ૧૧ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૮૩૧ થઈ છે. સામા પક્ષે ૧૪ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૮૪ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ ૬ કેસો ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૦૬૮ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે એક પણ કેસ મળી આવ્યો નથી. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૬૨૬ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૮૪ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here