નર્મદા જિલ્લામા ગંગાપુર પાસેની ખાડી ઉપર નાનો બંધ બનાવવા સરકારનુ આયોજન

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

કરજણ નદીને મળતી ગંગાપુરની ખાડીમા ચોમાસામા પાણીનો ભારે પ્રવાહ આવતો હોય મધ્યમ કક્ષાનો સિમેન્ટ કોંક્રીટનો મોટો ડેમ બનાવવાની માંગ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વીયર બાંધવાનું ક્ષેત્રીય આયોજન સરકાર દ્વારા થઇ રહયો હોવાની માહિતી આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગંગાપુર ખાતે મળેલી એક મીટીંગમા જણાવ્યું હતું.

સરકાર દ્વારા કરવામાં આવેલ નાના ડેમથી આ વિસ્તારમાં આ આયોજનથી ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી ખાડી (નાની નદી) નો પાણીનો પ્રવાહ જોતા માટીનો બંધ કે વેસ્ટ વિયરના સ્થાને મધ્યમ કક્ષાનો પાકો ડેમ બાંધવાની છે.

સૂચિત યોજના છે તે ખુબ જ નાની છે. ૧૯૮૮ થી ગંગાપુર ડેમ મોટો બને તેવી માંગણી આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ઑ દ્વારા થતી આવી છે. આજ રોજ ગંગાપુર ગામે મળેલી મિટિંગમાં ખેડૂતોની માંગણી ડેમ મધ્યમ કક્ષાનો બને તથા તેમાં નર્મદાના ડેમનું પાણી નાખવામાં આવે, નર્મદા નદીનું પાણી કણજી વાંદરી, માથાસરની આસપાસ થી લિફ્ટ કરી અથવા પર્વતમાં બોગદુ પાડીને પીપલોદની ખાડીમાંથી કરજણ નદીમાં નાખી શકાય તેમ છે, આ નર્મદા ડેમનું પાણી કરજણ ડેમ તથા ગંગાપુર ડેમમાં નાખવામાં આવે તો ડેડીયાપાડા તાલુકાની ખેડૂતોના સિંચાઇ માટેની સમસ્યા કાયમને માટે ઉકેલાઈ તેવું ઉપસ્થિત ખેડૂતો એ પોતાના મંતવ્યોમા જણાવ્યું હતું.

આ સૂચિત ગંગાપુર ગામ પાસેનો ડેમ વધુ પાણીનો સંગ્રહ થાય તેવો મોટો બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. કે જેથી આદિવાસી પછાત વિસ્તારમાં વસતા લોકો સિંચાઇ માટે પાણીનો લાભ મેળવી શકે.

સાંસદ મનસુખભાઈ વસાવાની આગેવાની મા મળેલ મીટિંગમાં ગંગાપુર, જામની, કેવડી,કાકરપાડા, કણબીપીઠા, આંબાવાડી, ડાભણ, ખોડાઆંબા, હરીપુરા ગામના ખેડૂતો તથા ડેડીયાપાડા તાલુકાના આગેવાનો, તાલુકા પ્રમુખ માનસિંગભાઈ, જિલ્લા પંચાયત સભ્ય પ્રર્યુષાબેન, ડેડીયાપાડાના દિવાલભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ, માધુભાઈ, ગિમ્બાભાઇ તથા ભા.જ.પા.માજી.પ્રમુખ લક્ષ્મણભાઈ, માજી. જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ, જામની ગામના સરપંચ શિવરામભાઈ, કનબુડી ગામના સરપંચ પ્રતાપભાઈ, કેવડી ગામના સરપંચ કુંવરજીભાઇ, માજી સરપંચ ગોપાલભાઈ, માજી. મહામંત્રી સુરેન્દ્રભાઈ પંચાલ, આદિજાતી મોરચાના મહામંત્રી મનસુખભાઈ, જામની ગામના આગેવાન પ્રકાશભાઈ વગેરે હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here