રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
સ્ટેચ્યું ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોની ખાતેથી આજે પણ 3 કેસ પોઝિટિવ મળી આવતા જીલ્લામા
પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૬૪૨ થઈ
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાઈ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૯ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૯ દર્દીઓ અને વડોદરા ખાતે ૪ દર્દીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૧૨ દર્દીઓ સહિત કુલ-૮૪ દર્દીઓ સારવાર હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૪,૧૫૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૫ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૭ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૨,ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૦૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૦૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨૮ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૬૪૨ નોંધાવા પામી છે.
નર્મદા જિલ્લામાથી કુલ 14 પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેમાં રાજપીપળાના દોલત બજારમા 3, આદિતય, નવાપરા અને પંચવટી સોસાયટી માથી એક એક કેસનો સમાવેશ થાય છે. સટેચયુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોની ખાતેથી આજે પણ વધુ 3 પોઝિટિવ કેસો નોધાયા છે.આ ઉપરાંત ભદામ મા 2 પોઝિટિવ દર્દી કરાંઠા, ધમણાછા અને નિકોલી ખાતેથી એક એક પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે .
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૯૪ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૬૪ દર્દીઓ સહિત કુલ-૫૫૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૪ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૧૨ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૯ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૨૯ દર્દીઓ સહિત કુલ ૮૪ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૬, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૫૧૫ સહિત કુલ-૫૬૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૭ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૪,૧૫૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૨ દર્દીઓ, તાવના ૩૧ દર્દીઓ, ઝાડાના ૪૨ દર્દીઓ સહિત કુલ-૧૧૫ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૩૭,૪૮૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૪૮,૯૮૯ લોકોને વિતરણ કરાઇ છે.