ધોરાજીમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો રાજકોટ તા. ૨૩ ફેબ્રુઆરી

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રી એમ. જી. જાડેજાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી – SWAGAT) ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ બેઠકમાં ૧૧ અરજદારોએ અન્ન-પુરવઠા, આવકના દાખલા સહીતના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમજ તેઓની અરજી પરત્વે યોગ્ય નિર્ણય લઈ સંતોષકારક રીતે ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ તકે નાયબ મામલતદારશ્રી વી. એસ. ચુડાસમા તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here