ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
આજરોજ ડભોઇ સેવા સદન ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં તેમજ ડભોઇ એસ ડી એમ ડભોઇ ડી.વાય.એસ.પી ડભોઇ મામલતદાર અને ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા નાઓની ઉપસ્થિતિમાં ડભોઇ નગર અને તાલુકાના ગણેશ યુવક મંડળોના આગેવાનો સાથે બેઠક યોજી ગણેશ વિસર્જન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જ્યારે આ બેઠકમાં ડભોઇ નાયબ કલેકટર ડભોઇ મામલતદાર ડભોઈ ડીવાયએસપી ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ ડોક્ટર સંદીપ ભાઈ પટેલ.સસિકાંત ભાઈ પટેલ તેમજ ભાજપના અગ્રણીઓ અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તેમજ ડભોઇ ડીવાયએસપી અને ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગણેશ મંડળના આગેવાનોને શ્રીજી વિસર્જન અંગેના સૂચનો આપવામાં આવ્યા હતા જેમાં શાંતિથી કોમી એખલાસ અને ભાઈચાર સાથે વહેલી તકે 12:00 વાગ્યા પહેલા શ્રીજી નું વિસર્જન કરવું ડીજે નહિવત ધ્વનિએ વગાડવું અને કોઈપણ ધર્મના લોકોની લાગણી ના દુભાય એ રીતે ડીજે વગાડવું તેમ દર્ભાવતી ને શોભે એ પ્રમાણે સંસ્કારી રીતે ગણેશ વિસર્જન કરવા સલાહ સૂચનો કરાયા હતા.
સાથે ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન મુસ્લિમ ભાઈઓએ દ્વારા રથયાત્રાના છત્રાલોને ઠંડા પાણી છાશ વગેરેની વ્યવસ્થા કરી કોમી એકતાનો એક દ્રષ્ટાંત પૂરો પાડ્યો હતો તેવી જ રીતે ગણેશ યાત્રામાં પણ મુસ્લિમ બિરાદરો અને આગેવાનો દ્વારા આવું આયોજન કરાશે તેમજ ગણેશ મંડળના આયોજકોને કોમી એખલાસ નો માહોલ ખોરવાય ના એ રીતે વિસર્જન કરવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.