ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
આયુષ આયુષી હોસ્પિટલ ના સહયોગથી મોહસીને આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનતાના શ્વાસ્થ ની જાળવણી ના ભાગરૂપે વિનામૂલ્યે સારવાર કેમ્પનું આયોજન કરાયું. જેમાં 350 ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો
ડભોઇ મોહસીને આજમ મિશન ટ્રસ્ટ દ્વારા ખાસ આલા હજરત ના ઉર્સ નિમિત્તે આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતભરમાં મોહસીને આઝમ મિશન ટ્રસ્ટ વેગવંતુ થયેલ છે અને તેની અલગ અલગ શહેરોમાં કેટલીક શાખાઓ અવિરત ચાલી રહી છે અને આ શાખાઓ દ્વારા અવિરતપણે સમાજની સેવા કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ ડભોઇ તલાવપુરા મદ્રસા ખાતે વડોદરાના નિષ્ણાંત અને અનુભવી જનરલ સર્જન ઇસ્ત્રી રોગના નિષ્ણાંત ફિઝિશિયન ચામડી રોગોના નિષ્ણાંત હાર્ટના નિષ્ણાંત જેવા ડોક્ટરો દ્વારા 350 ઉપરાંત લાભાર્થીઓને સારવાર કરી તેઓને બીમારીઓ અંગે સલાહ સૂચનો અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જ્યારે આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા લાભાર્થીઓને કન્સલ્ટેશન ડાયાબિટીસની તપાસ બ્લડપ્રેશર,ધબકારા ની તપાસ તેમજ અન્ય રોગોનું ની તપાસ અને નિદાન કરી નિઃસુલક વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી.
આ નિદાન કેમ્પમાં સેવા આપનાર મોસીને આજે મિશન ના મૌલાના ગુલામ નબી,ઐયુબભાઈ ઘાંચી,વસીમભાઈ પાનવાલા,હનીફભાઈ વદેસિયાવાલા, મંજુરભાઈ સલાટ આસિફભાઇ પ્લમ્બર તેમજ મિશનના અન્ય કાર્યકરો હાજર રહી આ નિશુલ્ક નિદાન કેમ્પને સફળ બનાવ્યું હતું.