બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર સ્થિત સોની પરિવાર દ્વારા સ્વર્ગસ્થ રામકિશનજી તેમસર્ગસ્થ શ્રીમતી સાન્તાબાઇના સ્મરણથી આજથી એટલે કે 27મી 2023 ને શનિવાર થી બીજી જૂન શુક્રવાર સુધી કિલ્લા પાસે આવેલ નગરપાલિકા સંચાલિત દરબાર હોલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત કથા પૂર્વે આજરોજ કલબ રોડ ખાતેથી એક પોથીયાત્રા નીકળીને નવાપુરા પોસ્ટ ઓફિસ કાલિકા માતા ચોક જૈન મંદિર ચોક લાઇબ્રેરી રોડ રણછોડરાયજી મંદિર થઈ દરબાર હોલ ખાતે પહોંચી હતી જ્યાં ગણેશ પૂજન કળશ સ્થાપના સાથે કથાનો શુભારંભ થયો હતો જેમાં વ્યાસપીઠ પર ભાગવત કથાના પ્રખર ભાગવત આચાર્ય શ્રી હેમંતજી ભારદ્વાજ તેઓના મુખે રસમય અમૃતવાણીથી ભગવત કથાનું રસપાન કરાવવા નુ શુભારંભ થયુ હતુ તારીખ 28મી રાત્રે 9:00 કલાકે શ્રી સત્યનારાયણ કથા તથા તારીખ 29 મી રાત્રે શ્રી મહેશ નવમી ઉત્સવની ઉજવણી થશે તારી 30મી એ રાત્રે પ્રહલાદ ચરિત્ર રામચરિત્ર શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા તારીખ 31 રાત્રે 9:00 કલાકે શ્રી અગિયારસ ઉધ્યાપન તારીખ પહેલી જૂને રાત્રે 8:00 કલાકે જાગનાથ મહાદેવ મંદિર ખાતે કંસવધ રુકમણી મંગલ વિવાહ તારીખ બીજી જૂન શ્રી શુક્રદેવજી પૂજન તેમજ કથાનું પુર્ણાહુતિ થશે તારીખ બીજી જુને દરજી સમાજની વાડી રાજપૂત ફળીયા ખાતે બપોરે એક કલાકે મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા ધર્મ પ્રેમી ભાવીક ભક્તો ને સોની પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે.