ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગરમાં દર્દીઓને આપે છે ખુશી!!!

સુરેન્દ્રનગર, આરીફ દીવાન (મોરબી) :-

સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાત જાતના ભેદભાવ વગર સર્વે સમાજ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખાસ કરી તત્કાલ દર્દીઓને માર્ગદર્શન આપી સરકાર દ્વારા મળતી આરોગ્ય સારવાર અંતર્ગત સેવાની મહેક પૂરી પાડી રહ્યા છે ત્યારે તારીખ 5 5 2023 ના રોજ સુરેન્દ્રનગર ખાતે ટીબી હોસ્પિટલમાં દર્દીને ઇન્જેક્શન ની જરૂર હોય જે અંતર્ગત રાજકોટ થી વ્યવસ્થા કરાવી આપી દર્દીના ચહેરા પર ખુશીની મહેક પહેરાવી દીધી છે જેમાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અકબરભાઈ કટિયા અને આરીફભાઇ કટિયા સહિત સર્વે સંસ્થાના સભ્યો સેવા લક્ષી કાર્ય અંતર્ગત પશુ પક્ષીની સેવા હોય કે પછી માનવસેવા પોતાની યથાશક્તિ પ્રમાણે સર્વેના ચહેરા પર ખુશીની લહેર લાવા પ્રયાસો કરી રહ્યા છે જે સુરેન્દ્રનગર ખાતે ટીબી હોસ્પિટલ તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here