કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
નાદરકા ગામમાં એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતીના કામમાં વ્યસ્ત હતા ત્યારે કૂવામાંથી કોઈ પ્રાણીનો અવાજ સંભળાયો ખેડૂતે કૂવામાં જઈને જોયું તો એક દીપડો કુવામાં પડી ગયો હતો ખેડૂતે તાત્કાલિક વેજલપુર વન વિભાગ ને જાણ કરી હતી વેજલપુર વન વિભાગ દ્વારા દીપડાને સલામત રીતે બહાર કાઢી પાંજરામાં પુરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો આમ વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવાથી નાદરકા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો