કાલોલ તાલુકાના નાંદરખા ગામે સ્મશાન ના અભાવે વણકર સમાજ ના લોકોને ભારે પરેશાની

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના નાંદરખા ગામે સ્મશાન ના હોવાથી વણકર સમાજ સહિત અનુસૂચિત જાતિના લોકોને અંતિમક્રિયા માટે ભારે પરેશાની વેઠવી પડે છે આજ રોજ વણકર સમાજ મા એક મરણ થવાના પ્રસંગે અંતિમક્રિયા માટે ભર બપોરે ભારે તાપ વચ્ચે ખુલ્લી જગ્યામાં મૃતક ની અંતિમક્રિયા કરવામાં આવી હતી હાજર રહેલા લોકોએ જણાવ્યુ હતુ કે ગામમા અમારું કોઈ સ્મશાન નહી હોવાથી અમારે અમારા સ્વજનોની ન છૂટકે ખૂલ્લામાં અંતિમક્રિયા કરવી પડે છે જેથી અમોને નવીન સ્મશાન ગૃહ બનાવી આપે તેવી સરકાર સમક્ષ માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here