કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
સોમવારે સવારે ૯-૩૦ કલાકે રાજપૂત વીર યોદ્ધા ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી ની 483 મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સવારે 9:30 કલાકે તેમની પ્રતિમા, નગરપાલિકા શોપિંગ સેન્ટર, ગોધરા રોડ, કાલોલ ખાતે રાખવામાં આવેલ. આજના કાર્યક્રમ માં પ્રદિપસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ખેર,ગજેન્દ્રસિંહ ઠાકોર,જયરાજસિંહ પરમાર, નીરવભાઈ પટેલ અને સંજયસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા.