કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મો પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી કાલોલ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આ ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા પ્રથમ તેમના સ્થાનિક કાર્યાલય સ્ટેશન રોડ ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાબાસાહેબ નું જીવન ચરિત્ર વિશે ફતેસિંહ ચૌહાણે સુંદર વ્યક્તિત્વ આપ્યું આ મહાન જ્ઞાની સિમ્બોલ ઓફ નોલેજ તરીકે બાબા સાહેબ ને ઓળખાવ્યા હતા ભારત રત્ન બાબા સાહેબ ના બલિદાન વિશે વાત કરી હતી અને તેમના જીવન ચરિત્ર અને રસપ્રદ જીવન વિશે વાતો કરી હતી ત્યારબાદ કાલોલ મામલતદાર કચેરીની આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને માલ્યા અર્પણ વિધિ કરી હતી અને બાબા સાહેબ અમર રહો ના સુત્રો ચાર કર્યા હતા કર્યા હતા બાબાસાહેબ આંબેડકર અમર રહો ના નારા લાગ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને દલિત આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ગૌરાંગભાઈ અને મોટી સંખ્યામાં ભાજપા મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.