જૂની પાદરડી પ્રા.શાળામાં 212 વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે. પાદરડી ગામના સ્થાનિક અગ્રણી મહેન્દ્રસિંહ સોમાભાઈ પટેલના પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જૂની પાદરડીની બાલિકાઓને મોહનથાળ, પુરી શાક તેમજ દાળ ભાતનું સ્વાદિષ્ટ ગુણવત્તા યુક્ત તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમનું આ ઉમદા કાર્ય સમાજ માટે પ્રેરણાત્મક બની રહેશે તેમજ શાળા પરિવારે તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…