ગોધરા(પંચમહાલ),
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ શંકરનગર, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ઠક્કર ખમણ હાઉસની બાજુમાં, પંચવટી પાસે આવેલી આવાસ સોસાયટી, અલ્હાબાદ બેન્ક પાસે આવેલી જૈન સોસાયટી, ગોન્દ્રાની મોતી મસ્જિદ, ગંગોત્રી નગર-૦૨નો વિસ્તાર અને જહુરપુરા રોડ પર આવેલ ગુહ્યા મહોલ્લા, કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સમાવિષ્ટ નાના મહોલ્લા-૦૨, ઘોઘંબા તાલુકાના ઘોઘંબા ગામમાં સમાવિષ્ટ વિવેકાનંદ ફળિયા-૦૨ વિસ્તારોનો સમાવેશ થાય છે.