કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
પંચમહાલ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એલ બી બાંભણિયા દ્વારા તેઓને ધી ગુજરાત એપેડેમીક ડીસીસ covid-19 રેગ્યુલેશન 2020 ની કલમ ૧૧ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એપ 2005 ની કલમ ૩૦ અને ૩૪ હેઠળ મળેલી સત્તા હેઠળ કાલોલ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ નવાપુરા-૦૫, સત કૈવલ સોસાયટી, ગાંધી ફળિયા-૦૨, હનુમાન ફળિયા, નંદ બંગલોઝ, હોળી ચકલા વિસ્તારને કલસ્ટર મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કાલોલ તાલુકાના વ્યાસડા ગામના ખેડા વિસ્તાર, નાંદરખા ગામના ડેરી ફળિયુ બાકરોલના રાવળ ફળિયા વેજલપુરના રહેમાન મસ્જીદ પાસેની ખુંધા ટેકરી, મંદિર ફળિયા, નાના ફળીયા પ્લોટ વિસ્તાર અને વરવાડા ગામના પટેલ ફળિયાને ક્લસ્ટર મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.