કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ પ્રતિજ્ઞા અક્ષરસઃ આ મુજબ છે હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ, હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી લઉ છું જેને સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકયા છે*. *હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની દ્વિતીય વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં કેવડીયા ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇએ ઉત્સાહભેર આ પ્રતિજ્ઞા લીધી હતી.