બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-
ત્રિવિધ કાર્યક્રમ થી સત્સંગી સમાજ માં ભારે ઉત્સાહ સાથે તૈડામાર તૈયારી…. વડતાલ ગાદી ના પીઠાધિપતિ આર્શીવચન પાઠવવા પધારશે
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષરનિવાસી સદગુરૂ સ્વામી જગમોહનદાસજી ની દિવ્ય પ્રેરણા થી તારીખ.- ૦૩/૦૪ થી ૦૯/૦૪ સુધી સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પારાયણ નું સદગુરૂ શાસ્ત્રી સ્વામીશ્રી નિર્લેપસ્વરૂપદાસજી વેદાંતાચાર્ય વ્યાસપીઠ પર બિરાજી સુમધુર સંગીતશૈલી માં કથા રસપાન કરાવશે તથા સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજતા શ્રીરાધાકૃષ્ણ અને આદિદેવો નો વાર્ષિક પાટોત્સવ અને ઠાકોરજી ને સુવર્ણ સિંહાસન અર્પણવિધિ નો ત્રિવેણી સંગમ સમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાશે આ તકે પરમ પૂજ્ય આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ વડતાલ, ગઢપુરધામ કોઠારી સ્વામીશ્રી લક્ષ્મીનારાયણ સદાસજી , કોઠારી બળસ્વરૂપ દાસજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો આર્શીવચન પાઠવવા ઉપસ્થિત રહેશે તેમ મંદિર ના સત્સંગી અતુલભાઈ જાની ફોજી ની યાદી જણાવેલ આ ત્રીવિધ કાર્યક્રમ દરમિયાન પોથીયાત્રા, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, જળયાત્રા, મહારાજશ્રી નું સામૈયું, રૂકમણી વિવાહ, ઠાકોરજી નો અભિષેક, શણગાર, અન્નકૂટ દર્શન, સુવર્ણ સિંહાસન નું ઉદ્દઘાટન, મહાઆરતી વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આ ત્રિવિધ કાર્યક્રમ ના યજમાન સ્વ. ગોવિંદભાઈ કરશનભાઈ ઠુંમર ના ધર્મપત્ની ગં.સ્વ. લાભુબેન તથા ઠુંમર પરિવાર રહેશે આ તકે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કથાશ્રવણ નો લાભ લેવા સ્વામિનારાયણ મંદિર ના ટ્રસ્ટીઓ, સમગ્ર સત્સંગી સમાજ અને કોઠારી હરીસ્વરૂપદાસજી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવે છે.