સાગબારા,
પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)
બે દિવસ અગાઉ સાગબારા તાલુકાના જાવલી ગામે અચાનક આગ લાગતા ચાર ઘર બળીને ખાક થઇ ગયા હતા અને કાળભક્ષી આગમાં 11 અબોલા પશુઓના મોત થયા હતા .જેમા ચાર ઘરના પરિવારો બેઘર બની જતા તેમની મદદ શરૂ કરાઈ છે ..એમને ત્યા પહોચીને આથિઁક સહાય તથા રોકડ રકમની સહાય કરી હતી જેમા માજી વનમંત્રી મોતિલાલ વસાવા.માજી જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા ., શંકરભાઈ વસવા પાટીઁ પ્રમુખ સાગબારા.ફુલસિંગવસાવા વિગેરે એ ઉપસ્થિત રહી આથીઁક સહાય કરી હતી તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ આપી હતી .