સદ્ભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા બાબા રામદેવ પીર મંદિર ખાતે બાળકોની પ્રાથમિક પરીક્ષાઓની પુર્વ તૈયારીઓ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા બાબા રામદેવ પીર મંદિર ખાતે મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લાં કેટલાંય વર્ષોથી શરૂ કરવામાં આવ્યો છે આજના સમયમાં આર્થિક રીતે નબળા બાળકોને મોંઘી ફી પરવરે એમ ન હોય તેવા ઝુપડ પટ્ટીમાં રહેતા બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ આપી રહ્યા છે આ ક્લાસમાંથી ધણા વિધાર્થીઓ શિક્ષણ મેળવી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે સદભાવના મિશન ક્લાસ માં 130 થી વધુ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે જેમાં ધોરણ 01 થી 09 સુધીના ગરીબ અને મધ્યમ વર્ગના અને માતા-પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને શિક્ષણ સાંજે સમયે બાળકો અનંદ ઉલ્લાસથી આવી રહ્યાં છે તદ ઉપરાંત બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સારુ શિક્ષણ કોચિંગ મળી રહે તે માટે તમામ વિષયના પુસ્તકો અને પ્રશ્ર્નો પાત્રોની પુર્વ તૈયારીઓ નામાંકિત અને એકતાના પ્રતિક શિક્ષકશ્રી ઈમરાન સાહેબ લગાતાર શિક્ષણ આપી રહ્યા છે જેથી બાળકોને સારા માર્ક્સ આવે અને તેમના માતાપિતાનું અને સમાજનું નામ રોશન કરે એવી ભાવના સાથે આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here