શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
શહેરા નગરમા આજથી ત્રણ દિવસ સુધી લોકડાઉન અને ત્યારબાદ પછીના દિવસોમાં સાંજના ચાર વાગ્યા સુધી જ દૂકાનો ખૂલ્લી રાખવામાં આવનાર છે.ત્યારે મંગળવારે સાંજના ચાર વાગ્યાથી દુકાનો વેપારીઓએ બંધ કરી હતી.પોલીસ અને તંત્રના અધિકારીઓએ બજાર માં નીકળ્યા ત્યારે અમુક દુકાનો ખુલ્લી જોવાઈ રહી હતી.તે દૂકાનો ટપોટપ બંધ થતી જોવા મળી હતી.
શહેરા નગરમાં વેપારીઓ અને તંત્રની બેઠકમા બુધ થી શુક્રવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામા આવ્યો હતો.જેને પગલે મંગળવારના રોજ ચાર વાગ્યાથી દૂકાનો વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવી હતી.પંરતુ લગ્નગાળો હોવાથી બસ સ્ટેશન ,મેઇન બજાર ,સિંધી ચોકડી સહિતના વિસ્તારમાં ખરીદી કરવા ભારે ભીડ જોવા મળી હતી. પોલીસ અધિકારીઓ,તંત્રના અને નગર પાલિકા સહિતની ટીમ પાંચ વાગ્યા બાદ બજાર માં નીકળી હતી.જ્યારે કેટલાક વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી વેપાર કરતા જોવા મળ્યા હતા.પોલીસ અને તંત્રના અધિકારીઓને જોતા ટપોટપ દૂકાનો બંધ કરી દીધી હતી. આ લોકડાઉન ના ત્રણ દિવસ વેપારીઓ અને પ્રજાજનો ઘરની બહાર કામ વગર નહી નીકળી ને માસ્ક સહિતના નિયમોનું પાલન કરે તે ઈચ્છનીય પણ છે.