શહેરા : જૂની પાદરડી પ્રા.શાળાના આચાર્ય જશવંતસિંહ કે.બારીઆનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાં નવી પાદરડી ક્લસ્ટરમાં આવેલી જૂની પાદરડી પ્રા.શાળામાં 34 વર્ષને 10 માસથી આચાર્ય તરીકે ફરજ બજાવતા જસવંતસિંહ બારીઆનો વય નિવૃત્તિ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય સમિતિ, પંચમહાલ ચેરમેન ડૉ.કિરણસિંહ બારીઆની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શહેરા ચેતનાબેન પી.પરમાર તેમજ અતિથિ વિશેષ તરીકે રાકેશભાઈ પટેલ બી.આર.સી.કો.ઓર્ડીનેટર, શહેરાની ઉપસ્થિતિ યોજાયો હતો.

મહેમાનોનું શાબ્દિક સ્વાગત ભાનુભાઈ ડી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી દીકરીઓ દ્વારા સરસ્વતી વંદના, પ્રાર્થના, સ્વાગત ગીત અને મનુષ્ય ગૌરવ ગાન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું બુકે, શાલ તેમજ મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વય નિવૃત્તિ કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારભાઈ આર.વણઝારા, પ્રવિણસિંહ રાઠોડ, નવી પાદરડી પગાર કેન્દ્ર આચાર્ય બળવતસિંહ પગી, સી.આર.સી.કો.ઓર્ડીનેટર પરિમલભાઈ પરમાર, પાદરડી, ડુમેલાવ તેમજ ચલાલી સરપંચ, સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો – તેમના સગા સંબંધીઓ, પેટા શાળાઓના આચાર્ય, મદદનીશ શિક્ષકો તેમજ વ્હાલા વિદ્યાર્થીઓ વગેરે મળીને કુલ 1000 થી પણ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહી કાર્યક્રમ દિપાવ્યો હતો.

શહેરા શિક્ષણ પરિવાર, જૂની પાદરડી પ્રા.શાળા પરિવાર, પગાર કેન્દ્ર નવી પાદરડીની પેટા શાળાઓના આચાર્યો, શિક્ષકો, ગ્રામજનો, સગા સ્નેહી જનો દ્વારા નિવૃત્ત થનાર આચાર્ય જસવંતસિંહ બારીઆનું શાલ બુકે, મોમેન્ટ તેમજ પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વય નિવૃત્ત થનાર આચાર્ય દ્વારા નવી પાદરડી પગાર કેન્દ્રની પેટા શાળાઓને સ્ટીલના બે નંગ મોટા તપેલા, 6 આંગણવાડી, KGBV અને પાદરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને પાણી પીવા માટેના જગ તેમજ સદર શાળાને સાઉન્ડ કુલ મળી રૂપિયા 51000/- નું દાન કર્યું હતું. તેમના આ કાર્યને શહેરા શિક્ષણ પરિવાર દ્વારા અભિનંદન પાઠવી તેમના શેષ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સુશીલાબેન પટેલ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોરના માર્ગદર્શન હેઠળ દીકરીઓએ સુંદર કર્યું હતું, એન્કરિંગ ડૉ.કલ્પેશ આર.પરમાર, સૌના માટે પ્રીતિ ભોજન વ્યવસ્થા ભાનુભાઈ ડી.પટેલ, રણજીતસિંહ બી.બારીઆ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી. આભાર વિધિ સી.આર.સી.કો.ઓર્ડીનેટર પરિમલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here