વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામા પ્રસિઘ્ધ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક નિયંત્રણ રાખવાની જરૂરિયાતને લક્ષમાં લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૪ થી નવેમ્બર,૨૦૨૨ થી તા.૧૦ મી ડિસેમ્બર,૨૦૨૨ દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ઘાર્મિક સંસ્થાઓનો અથવા ઘાર્મિક સંસ્થાઓના ભંડોળનો રાજકીય વિચારોના પ્રચાર અને વૃદ્ધિ-પ્રસાર માટે અથવા કોઈપણ રાજકીય પ્રવૃત્તિ અથવા કોઈપણ રાજકીય પક્ષના લાભ માટે તથા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષા પાત્ર રહેશે આ જાહેરનામાના હેઠળ તપાસ કરવાના, જાહેરનામાંના પાલન કરવાના, અને તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here