વડિયાની આરાધના કુમાર છાત્રાલયમાં વિદાય સમારંભ યોજાયો

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

સ્વ.જગાભાઈ દેશાભાઈ આઠું ચેરી. એન્ડ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત આરાધના સાર્વજનિક કુમાર છાત્રાલય જેમા અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓ હોસ્ટેલ માં રહી વડિયા ની વિવિધ શાળાઓમા અભ્યાસ કરે છે.ત્યારે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ માં ગ્રામપંચાયત સદસ્ય ચેતન દાફડા, સુરગવાળા હાઈસ્કૂલ ના કિરીટ જોટવા, ગૃહપતિ સંદીપ સોલંકી અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવ્વલ ભવિષ્ય માટે માર્ગદર્શન આપી માતા પિતાનુ નામ રોશન કરે અને દેશના હિત માં કામ કરવા એક ઉમદા નાગરિક બને તેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અંતે ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here