કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-
સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે વડાપ્રધાન ની મુલાકાત દરમ્યાન પણ પ્રવાસીઓ માટે 28 થી 31 ઓક્ટોબર દરમ્યાન ખુલ્લુ રહેશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.૩૧ મી ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ – રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેનાર હોય તેને અનુલક્ષીને અગાઉ તા.૨૮ ઓકટોબર થી ત્રણ દિવસ સ્ટેચ્યુ પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે હાલમાં પ્રવાસનની મોસમ છે.એટલે લોક લાગણીને માન આપીને તા.૨૮ થી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત sou પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત souadtga ના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે.એટલે હવે આ દિવસો દરમિયાન પ્રવાસીઓ sou ની મુલાકાત લઈ શકશે.