રાજપીપલાના કાછીયાવાડ, ટેકરા પોલીસ લાઈન તિલકવાડા તાલુકાના વઘેલી ગામ આમલેથાના કેટલાક નિયત ઘરો-વિસ્તારને Containment Area જાહેર કરાયા

તે સિવાયના અન્ય કેટલાક ઘરો-વિસ્તારોને (Buffer Zone) તરીકે જાહેર કરાયા

રાજપીપલા(નર્મદા)
આશિક પઠાણ

કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations – 2020 જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.અત્રેના જિલ્લામા નાદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા અને આમલેથા ગામમાં તથા તિલકવાડા તાલુકાના વઘેલી ગામમાં COVID-19 ના પોઝીટીવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧૯/૦૭/૨૦૨૦ થી તા.૦૧/૦૮/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

તદ્અનુસાર, ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નાદોદ તાલુકાના આમલેથા ગામના ઉઘરાદર ફળીયા વિસ્તારના સરોજબેન ગોહિલ વસાવાના ઘરને જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૧ અને કુલ વસ્તી આશરે-૪ દર્શાવાઈ છે તેમજ રાજપીપલા નગરપાલિકા વોર્ડ નં-૧ ના કાછીયાવાડ બાલમંદિર ફળીયાના શ્રી મુકેશભાઈ રતિલાલ કાછીયાના ઘરથી શ્રી પંકજભાઈ રતિલાલ કાછીયાના ઘર સુધીના વિસ્તારને જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૨૦ અને કુલ વસ્તી આશરે-૫૫ દર્શાવાઈ છે.

રાજપીપલા નગરપાલિકા વિસ્તારના ટેકરા પોલીસ લાઈનના બ્લોક નં-૧ ના રૂમ નં-૧૩,૧૪,૧૫,૧૬ ને જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૪ અને કુલ વસ્તી આશરે-૧૯ દર્શાવાઈ છે અને તિલકવાડા તાલુકાના વઘેલી ગામના મંદિર ફળીયામાં ગોપાલભાઈ ગોકળભાઈ બારીયાના ઘરથી સુમનભાઈ મણિલાલ બારીયાના ઘર સુધી તેમજ ચીમનભાઈ ચંદુભાઈ બારીયાના ઘરથી રણછોડભાઈ ભયજીભાઈ બારીયાના ઘર સુધીના વિસ્તારને અને તેમા સમાવિષ્ટ ૨૨ ઘરોને જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે- ૨૨ અને કુલ વસ્તી આશરે-૧૨૧ દર્શાવાઈ છે. જેને COVID- 19 Containment Area તરીકે જાહેર કરાયા છે.

તદઅનુસાર, Containment Area તરીકે જાહેર કરાયેલા જિલ્લાના ઉક્ત વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સુધીના વિસ્તાર સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓની જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24*7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. આ કન્ટેન્ટમેન્ટ એરિયા (Containment Area) માં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારશ્રીના Containment Area પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

તદઉપરાંત, નાદોદ તાલુકાના આમલેથા ગામના ઉઘરાદર ફળીયા વિસ્તાર(સરોજબેન ગોહિલ વસાવાના ઘર સિવાય ) ને, રાજપીપલા નગરપાલિકા વોર્ડ નં-૧ ના કાછીયાવાડ બાલમંદિર ફળીયા વિસ્તારના શ્રી રોહતભાઇ પ્રવિણભાઈ પટેલના ઘરથી શ્રી ચિરાગ રાજુભાઈ પટેલના ઘર સુધી તથા ભુરીબેન રતિલાલ પટેલના ઘરથી શ્રી પિયુષ ચંદુભાઈ પટેલના ઘર સુધીના વિસ્તારને, રાજપીપલા નગરપાલિકા વિસ્તારના ટેકરા પોલીસ લાઈનના બ્લોક નં-૧( રૂમ નં- ૧૩,૧૪,૧૫,૧૬ સિવાય) ૨,૫,૬ ને અને તિલકવાડા તાલુકાના વઘેલી ગામના વડવાળુ ફળીયુ અને આંગણવાડી ફળીયાને COVID-19 બફર ઝોન (Buffer Zone) તરીકે જાહેર કરીને આ ઝોનની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે તથા નિવારક પગલાંના ભાગરૂપે માસ્ક, વારંવાર હાથ ધોવા, વ્યક્તિગત સફાઈ, સામાજીક અંતર વગેરે જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે.

આ જાહેરનામાની અમલવારી તા. ૧૯/૦૭/૨૦૨૦ થી તા.૦૧/૦૮/૨૦૨૦ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here