મોરબી, આરીફ દીવાન :-
મોરબી ખાતે 19 ફેબ્રુઆરી રવિવારના રોજ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને પશુ પંખીની સેવા કરતી ગૌરક્ષક સેવા સમિતિ અને બજરંગ દળ સહિત ના હોદ્દેદારો કાર્યકરો સભ્યો દ્વારા હિન્દુ હદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મોરબી ખાતે આવેલા જેલ ચોકમાં શ્રી છત્રપતિ મહારાજના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી જય ભવાની જય શિવાજી ના સૂત્ર ચાર સાથે સર્વે યુવાનોએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી જેમાં કેબી બોરીચા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ની યાદીમાં જણાવ્યું છે જન્મ જયંતી નિમિત્તે સમગ્ર કાર્યક્રમ ની ઉત્સાહભેર કરવામાં આવેલી ઉજવણી તસવીર માં દ્રશ્યમાન થાય છે.