મોરબીના ખ્યાતનામ એડવોકેટ મનસુખભાઈ પરમાર(વકીલ) આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી,
આરીફ દીવાન

કાયદાકીય લડત આપતા એડવોકેટ હવે રાજકીય લડત મોરબી માં આવનારી ચૂંટણીમાં આપશે

મોરબી શહેરના સતવારા સમાજના આગેવાન અને મોરબી નગરપાલિકા ના માજી સદસ્ય અને એડવોકેટ મનસખુભાઈ એન પરમાર ( વકીલ) તાજેતરમાં જ તારીખ 28 9 2020 ના રોજ આમ આદમી પાર્ટી માં જોડાયા છે જે કાયદાકીય કોર્ટમાં દલીલો કરી લડત આપનાર હવે રાજકીય ચૂંટણીમાં લડત આપે તેમ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેથી તેમના સેંકડો કાર્યકરો સાથે જેને આમ આદમી પાર્ટી ના દિલ્લી થી આવેલ ઓબ્જર્વર શ્રી રામ શર્મા અને પ્રભારી ભરત ભાઈ બારોટ અને શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂ એ તેમને આવકાર સાથે મોરબી શહેર ના ઉપપ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવા માં આવેલ છે તેમ મોરબી શહેર આમ આદમી પાર્ટી ના પ્રમુખ મહેશ રાજ્યગુરૂ ની યાદી જણાવે છે મંત્રી નોંધનીય છે કે ભાજપ અને કોંગ્રેસ શાસન નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી હોય જેથી કોંગ્રેસ અને ભાજપ થી મોટાભાગના લોકો નારાજ હોય તેમ ઉદ્યોગપતિ વેપારી સહિત વકીલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા મોરબી પંથકમાં આમ આદમી પાર્ટીનું ભાવિ આવનારી ચૂંટણીમાં ઉજળું હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here